પ્રાર્થનાથી કોઈપણ કાર્યની શરૃઆત કરતાં વાતાવરણમાં અનેરો આનંદ પ્રસરે છે.
- પ્રાર્થનાથી જીવનની પ્રગતિનાં દ્વાર ખૂલી જાય છે.
- પ્રાર્થનાથી ઈશ્વરીય શક્તિનો અનુભવ કરવા જરૃરી છે.
- પ્રાર્થનાથી પોતાની ચિંતા કે જવાબદારી પ્રભુને સોંપ્યાનો અનુભવ થાય છે.
- નિરાશા, હતાશા, ક્રોધ જેવા હાનિકારક ભાવો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે.
- હાનિકારક ભાવોની અસરથી ઉદ્ભવતા શારીરિક કે માનસિક રોગો દૂર કરવા પ્રાર્થના જરૃરી છે.
- ઈશ્વરનાં અગણિત ઉપકારોને યાદ કરવા પ્રાર્થના જરૃરી છે.
- ઈશ્વરની ઉપસ્થિતિનો સાક્ષાત્કાર કરવા પ્રાર્થના જરૃરી છે.
- ઈશ્વરનાં સંતાનોની પ્રતિતી કરવા પ્રાર્થના જરૃરી છે.
- હવા, પાણી, ખોરાક જેવાં ઈશ્વરીય બક્ષિસોનો આભાર વ્યક્ત કરવા પ્રાર્થના જરૃરી છે.
- પ્રાર્થનાથી ઘર, ઓફિસ કે શાળાનું વાતાવરણ સ્વર્ગીય આનંદ આપતું ભાસે છે.
- પ્રાર્થનાથી ઘર, ગામ કે શાળાનું વાતાવરણ ભક્તિમય બને છે.
- પ્રાર્થનાથી વાતાવરણમાં નવિનતા પ્રસરે છે. તન-મન પ્રફુલ્લિત બને છે. નવું-નવું જોવા, જાણવા, માણવા, ભણવાની ઉત્કંઠા જાગે છે.
- પ્રાર્થનાથી અશુભ વિચારોનું ખંડન થાય છે. જીવનમાં નવીન તારોતાજા તાજગી અનુભવાય છે અને દેહ અને દિલની શુદ્ધિ થાય છે.
